Book: Abhilekh 2024 (અભિલેખ 2024)
Index
Menu
39. ધનસુરા - દફન ક્રિયા અને લગ્ન સંબંધો પર બંધી - દિનાંક 08-Apr-1989
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
(ગુજરાત) ધનસુરા
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ધનસુરાની ખાસ જનરલ મીટીંગ
તા. ૪—૮—૮૯ના રોજ ૧—૩૦ વાગે મળી જેમાં થયેલ ઠરાવ નં. ૪ ની નકલ
આજરોજ મીટીંગમાં નીચે મુજબનો ઠરાવ નં. ૪ થી નિર્ણય લેવામાં આવેલ છે.
૧. આપણી સનાતન સમાજની કોઈપણ વ્યક્તિ સતપંથી ભાઈઓને ત્યાં દફન ક્રિયામાં ભાગ લેવો નહિં તેમજ તેમને ત્યાં લોકાઈએ જવું નહિં તેમજ સાદડીએ બેસવા જવું નહિં.
ર. કોઈ પણ સામાજીક પ્રસંગ યોજવા નહિં જેવા કે સગપણ કરવા નહિં. તેમજ લગ્ન પ્રસંગમાં જવું નહીં.
ઉપર મુજબના નિયમોનો ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
લી.
એસ. એસ. પટેલ
પ્રમુખ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
(ગુજરાત) ધનસુરા